ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા ધોરણ – ૬ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE syllabus & exam pattern) નું આયોજન કરવામાં આવ્યુ છે.
♦ પરીક્ષા કોણ આપી શકે?
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ – ૬ માં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE syllabus & exam pattern) આપી શકશે.
ધોરણ – ૫ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
♦ અભ્યાસક્ર્મ
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) માટે અભ્યાસક્ર્મ ધોરણ – ૧ થી ૫ સુધીનો રહેશે.
♦ માધ્યમ
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) માટેના પ્રશ્નપત્રોનુ માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
♦ પરીક્ષાનું માળખું
કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય (૧) ભાષા-સામાન્ય જ્ઞાન ૧૦૦ ૧૦૦ મિનીટ (૨) ગણિત-વિજ્ઞાન ૧૦૦ ૧૦૦ મિનીટ
ઓનલાઇન ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે અહી ક્લિક કરો.